# વિચારોના સથવારે
"અહીં જીંદગી ક્યારેક આગ તો ક્યારેક રાખ જેવી હોય છે.
જો ખુદાનો હાથ પડે તો એ ફુલથી ફોરમ જેવી હોય છે.
પણ આ માણસને ક્યાં કદર છે? એ લાંબા સમયની લ્હાયમાં ભટકતો હોય છેે. "(હેતલ ગોહિલ ચૌહાણ)
આવો તમનેે પણ વિચાર આવતો હશેને ? ઈશ્વરે જીવન કેેેવુું સુંદર આપ્યું છે. તેમનું સર્જન કેટલું અદભુુુત છે. આપણે માત્ર એક રોટલી ગોળ કરવાની હોય કે ઓફિસમાં એક ફાઈલ લેવાની હોય તો પણ પરાણે . ત્યારે મને લાગે છે કે આ માણસ જીવતો પણ પરાણે જ હશે!!! આપણી આસપાસ પ્રકૃૃૃતિએ સર્જેલા પ્ર્રેરણાાદાયી સ્તોત્ર છેે જે આપણી અંંદર અદમ્ય ઉત્સાહનો સંચાર કરે છે. જીવન લાંબુ જીવવાથી કંઈ ફર્ક પડતો નથી. જીવનમાં કંઈ કરી જવાની ભાવના અને કાર્ય મહત્વનું છે. અને ઈશ્વર પણ તેને જ સાથ આપે છેે જેે સાહસ, ધીરજ, મહેેનત, બુદ્ધિ, બળથી પોતાના કાર્ય ને કરી જાણે.
આજનો માણસ દંંભી અને ઈર્ષાના વમળમાં ખોવાઈ ગયો છે. ભૌતિક સુખ સુવિધાઓમાં માણસાઈ ઓગળી ગઈ છે. સાવ છેવાડે ઊભેલો આ માણસ આજે ઈશ્વર બનવાના સપના જોઈ રહ્યો છે. પોતાની અંદર ઊકળતી ઇચ્છાઓની ધૂૂૂણીમાં પોતાની જ જાતને ઓગાળી નાખે છે.
પૈસાની પાછળ દોટ મુકીને જીવનનાં કરવા જેવા કાર્યોને ભૂલી ગયો છે. એક જ વાત કરવી છે અને કહેવી છે, "આ જીવ અને જગત ખુબ જ સુુંદર અને અદ્વિતીય છે. તેેેની કદર કરતાં શીખીશું તો પણ ઈશ્વર રાજીનો રેડ થશે.
**********હેતલ ગોહિલ ચૌહાણ