Dt. 21.8.20. શુક્રવાર.
*આજ નો મંત્ર *
V: વિજ્ઞાન સાથે તાલ મેલ સાધો.
વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકાર નું જ્ઞાન. જેમાંથી નિયમો - સિધ્ધાંતો તારવી શકાય અને કાર્ય કારણ નો સબંધ સ્થાપી શકાય. વિજ્ઞાન ના બે ક્ષેત્ર છે.
1.નૈસર્ગીક વિજ્ઞાન. 2.સામાજીક વિજ્ઞાન.
નૈસર્ગીક વિજ્ઞાન માં : ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, ભુસ્તર શાસ્ત્ર વિગેરે આવે.
સામાજીક વિજ્ઞાન માં :અર્થ શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર, માનવ શાસ્ત્ર વિગેરે આવે.
વિજ્ઞાન દ્વારા થયેલી શોધો માનવ જીવન ના વિકાસ માટે ની ઉપલબ્ધી છે. શોધો કરનાર વૈજ્ઞાનિકો નો આભાર માની એ તેટલો ઓછો છે. ઈલેકટ્રીસિટી ની શોધે સમગ્ર માનવ જીવન બદલી કાઢ્યુ છે. માત્ર, વિચાર કરો ઈલેકટ્રીક ની શોધ ના થઈ હોત તો?
હંમેશા એક પ્રશ્ન ઉભો થાય છે.. વિજ્ઞાન એ માનવ જીવન માટે આશીર્વાદ કે અભિશાપ? જો વિજ્ઞાન નો ઉપયોગ માનવ માત્ર - જીવ માત્ર ના વિકાસ માટે કરવા માં આવે તો આશીર્વાદ. જો વિજ્ઞાન નો ઉપયોગ માનવ જીવન ના સંહાર માટે - વિનાશ માટે કરવા માં આવે તો તે અભિશાપ બને છે.
આજે વિકાસ ની હરણફાળ ભરી રહેલી
દુનિયા માં માનવે પોતાનું અસ્તિત્વ ટકાવા વિજ્ઞાન જોડે તાલ - મેલ સાધવોજ પડશે. કોમ્પ્યુટર - મોબાઈલ - તંદુરસ્તી ના સાધનો - સગવડ ભર્યા ઈલેકટ્રીક સાધનો નું જ્ઞાન અને ઉપયોગ કરતા શીખવુજ પડશે. વિજ્ઞાન જોડે તાલ મેલ સાધી માનવ જીવન ના વિકાસ માં સહયોગ સાધવો પડશે.
*The Most important thing in science is not so much to obtain new fact as to discover new ways of thinking about them*
*I can not teach anybody anything, I can only make them think*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ મધ્યાન.
🙏🌹 કલ્પેશ ત્રિવેદી 🌹🙏