Gujarati Quote in Religious by Dipti

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઈસુ
ઈસુ કોણ છે? તે શા માટે અન્ય લોકોથી અલગ પડે છે.?

ઈસુ નો જન્મ થયો, એ અગાવ સેકંડો વર્ષો પૂર્વે ઈશ્વરે આપણને સંસાર ના બંધનમાં બાંધ્યા હતા. અને આજ બંધનથી છૂટવા કોઈ એક ને પૃથ્વી પર મોકલી આપવની ખાત્રી આપી હતી. પરંતુ આપણને બંધન છોડાવાની જરૂર તેમને શા માટે પડી હતી? આવો, આપણે આરંભ તરફ પાછા જઈએ અને એ બાબત શોઘી કાઢીએ.

ઈસુ તો ઈશ્વરના દીકરા છે, અને તે હંમેશા ઈશ્વરની સાથે રહ્યા છે. બાઇબલ આપણને જણાવે છે કે જયારે તેઓએ દરેક બાબતનું સર્જન કર્યું ત્યારે ઈસુ ઈશ્વરની સાથે જ હતા : અજવાળું, સૂર્ય, ચંદ્ર, સમુદ્રો, નદીઓ અને પર્વતો, વૃક્ષો અને છોડવાઓ, પ્રાણીઓ અને લોકો. બધીજ બાબતો તેમના ધ્વરા જ ઉત્પન્ન કરવામાં આવી હતી. એવી કોઈ બાબત છે જ નઈ કે જે તેમના વગર ઉત્પન્ન થઈ હોય.

ઈશ્વરે ઉત્પન્ન કરેલી દરેક બાબત જોય. અને બહુ સારી હતી.

ઈશ્વરે તમારા અને મારાં જેવા માનવીઓનું સર્જન એટલા માટે કર્યું કે આપણે ખુશીથી તેમને ઓળખીએ, તેમના પર પ્રેમ રાખીએ, અને તેમને આધીન રહી ને જીવન જીવીયે.

તો પછી, ખોટું ક્યાં થયું? આપણને છોડાવા માટે આપણને ઈસુની જરૂર શા માટે પડે છે??

આપણે જયારે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરીએ છીએ, ત્યારે એ બાબતને પાપ કહેવામાં આવે છે. આપણે જુઠુ બોલવું, સ્વાર્થી, લોભી અને નફરત ભરેલું જીવન જીવતા હોઈએ, જે સૃષ્ટિ ની રચના સમયે આવી ન હતી. તમે પણ આપણી આસપાસ સર્વત્ર પાપ જોય શકીયે છીએ, પણ ઈશ્વર આવું ઈચ્છતા નથી.

પણ ઈશ્વર તો એટલા બધા સંપૂર્ણ અને ભલા છે કે તે આપણા પાપોની અવગણના કરી સકતા નથી. પાપ માટે શિક્ષા તો થવી જ જોઈએ. એના માટે ભગવાને મરણ પછી નરક બનાવ્યુ. જ્યાં ઈશ્વર સાથે ની દરેક સારી બાબત થી અલગ પાડે છે.

અને ત્યારે આ બધા થી છૂટવા ઈસુ ની જરૂર પડે છે તેમના સાથ થી પાપો માં થી મુક્તિ મળે છે.

Gujarati Religious by Dipti : 111533135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now