Dt. 6.8.20 ગુરુવાર
* આજ નો મંત્ર*
" પ્રથમ સુખ તે જાતે નર્યા "
મિત્રો જીવન માં આપણી પાસે મકાન, મિલકત, રૂપિયા, પદ, પ્રતિષ્ઠા બધુ હોવા છતા જીવન આરોગ્યમય નહી હોય તો?
માનસિક અને શારીરિક
તંદુરસ્ત રહેવા માટે મન સ્વસ્થ અને શરીર સ્વસ્થ રાખવુજ પડે. તેના માટે પૌષ્ટિક આહાર, પ્રકૃતિ જોડે વિહાર અને નિયમિત કસરત જરૂરી છે.
આજ ની ભાગદોડ ની જીંદગી માં એક જ જવાબ મળે.
NO TIME
અરે ભાઈ પોતાના માટે?
નિત્ય ક્રમ માં માત્ર 1.30કલાક વહેલા ઉઠો. નિત્ય ધ્યાન, પ્રાણાયામ, યોગ કરવા - હળવી કસરત, ચાલવુ, થોડુ દોડવુ, તરવુ, સાઇકલ ચલાવી. તમને ગમતી અનુકૂળ આવતી કસરત સવારે કરો.
વિશ્વ માં ઉચ્ચ સ્થાન ઉપર બિરાજીત વ્યક્તિ ચાહે વેપારી હોય, ઉધોગપતી હોય, રાજકારણ, સ્પોર્ટ્સ હોય કે અન્ય ક્ષેત્ર હોય પોતાની સફળતા માટે સવારે પોતાના માટે આપતા 1 કલાક ને શ્રેષ્ઠ માને છે.
આ બધુ કરવા થી માંદગી ના આવે તેવુ નથી. મારો અનુભવ છે.આ કરવા થી જલ્દી સ્વસ્થ બની જવાય છે.
*It is health which is real wealth and not pieces of gold or silver - Mahatma Gandhi*
*He who has health has hope, he who has hope has everything - Arabian proverb*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🏼🌹કલ્પેશ ત્રિવેદી🌹🙏🏼