વિશ્વાસ કે આધિપત્ય?? ની લડાઈ.....
કોઈપણ નિકટના સંબંધમાં આ ભાવ હંમેશા સંબંધ વચ્ચે આવીને ઉભો થઇ જાય છે. મને વિશ્વાસ છે કે હું કહું એમ કરશે અથવા હું કહું એમજ થશે. એવુ ના કરે અને ના થાય તો સંબંધમાં ખટાશ અથવા કડવાશ આવીને ઉભી થઇ જાય છે અને ક્યારેક એ સંબંધને અંત તરફ લઈ જવા પૂરતું હોય છે. એક વ્યક્તિ વિશ્વાસના નામે વાતે વાતે આધિપત્ય જમાવવા પ્રયત્ન કરે છે જયારે બીજી વ્યક્તિ ને એક લિમિટ સુધી તો એ આધિપત્ય સારું લાગે છે પણ અંતમાં એ ગૂંગળામણ બનીને સંબંધનો શ્વાસ રુંધે છે. આખરે આ લડાઇમાં સંબંધ હારે છે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...