જીવન પળેપળેનું ભાથું લઈને આવે
ઝરણું છે ?કે ફૂંકાતા પવન સાથે ચાલે
મૃત્યુ નવા જન્મનું પ્રવેશદ્વાર લાવે
પડછાયો છે ?કે જીવનભર સાથ ચાલે
વર્તમાન જનારા અતિતને ભુલાવે
પુણ્ય છે ?કે પાપના ગુણોને ગણાવે
વરસાદ ધૂળની ડમરીઓને સમાવે
નદી છે ?કે સાગર તટને જોડાવે
'ગુરુ' પ્રેમનો વિલાપ વિરહને સતાવે
આસું છે ?કે હ્રદયના દર્દ જગાડે
- કિશોરસિંહ સોલંકી