Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મતા નવપલ્લવ જેવા આપણા આત્મજ ને આપણે આજ આજાર વારો દેશ આપીશું ? થુત્કાર છે પોતાના હાથે જ પોતાની દટંતર સર્જવા માટે . દેશપ્રેમના ત્વિષા પર ધાડાશાહીનુ આક્રમણ થયું છે અને માતા ભારતીને નથક્ષત કરી હાહાકાર મચાવી રહ્યો છે .

સરદાર પટેલે એક ભારતનું નિર્માણ કરી પુરો દેશ લોકોના હવાલે કરી નાંખ્યો પણ આપણે તેને જ દેફ કરી નાંખ્યો . ભ્રષ્ટાચાર અને ત્રાસવાદના ઉરગ પર દેશ કૃશ થઈ રહ્યો છે . લોકતંત્ર હવે ધાડાશાહી સામે જઈફ થઈ ગયું છે . રાજનીતિ તવાયફના કોઢા કરતા નિમ્ન સ્તર પર જઈ રહી છે . છતા પણ બધા મંચ પર મોટા મોટા અવાજે બોલી રહ્યા છે “મેરા ભારત મહાન” . જાણે કોઈની આવતા દારુણયની કલ્પના જ ન હોય કે પછી આંખ ફેરવવાની આદત થઈ ગઈ હોય એમ બધા આપણે શુ કહી ઉભા રહી જાય છે .

નેતાઓ કે કામરેડ દ્વારા બોલવામા આવતા દાહાત્મક ભાષણો દિગ્વ્યાપી બનીને રમખાણો સર્જે છે જેનો ભોગ નિર્દોષ લોકોને બનવું પડે છે . આપણામા રહેલી નઘરોળ માનસિકતા તેમનું જ અનુકરણ કરી દેશને તબાહ કરવાની એમની મનસા પુર્ણ કરે છે . ધર્મના નામ પર જેઓ ધર્માદ છે એવા લોકો ધર્મની દુહાઈ લઈ બહાર આવે છે . કયા ધર્મમાં કહ્યું છે કે નિર્દોષ લોકો ને કારણ વગર હણી નાખવા ?

“ધર્મ” શબ્દ ખુબ મહાન છે જેની થોડી માહીતી મે મારા એક લેખમાં આપેલી . ધર્મ પર ખતરાની વાતો કરતા આજના લોકો જ ધર્મભીરુ છે . જે હકીકતમાં ધર્મથી ડરેલા છે . જે લોકોમાં ધર્મ્ય છે એ લોકો જાણે છે અને બહાર આવીને ધર્માધ લોકોની આલોચના કરે છે .

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111527200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now