કેટલો જરૂર છે પ્રણય જીવનમાં એતો હર માણસ જાણતો જ હોય છે . સમયના આવરણો તોડી જ્યારે આત્મોન્નતિ તરફ આત્યંતિક લઈ જાય છે ત્યારે એ પરમબ્રહ્મમા આત્મસાત્ હોય છે . તમામ આધિઉપાધી છોડી દુનિયાના તમામ નિયમો થી આત્મરત હોય છે . જેને પ્રણયની પરાકાષ્ઠા કહેવાય છે .
પ્રથમ મિલન , પ્રણયમાં ખુબ મોટો ભાગ ભજવતું હોય છે . આશ્લિષ્ટ થઈ જવુ કે આશ્લેષ કરવું , સમયના જંજાવાતો સામે લડીને જ્યારે ત્યા પહોંચી છીએ ત્યારે તમામ ઈચ્છા ત્યા ઉપશમ થઈ જાય છે . મારુ પહેલું મિલન હતું . જે મારા જીવનમાં દીપ્તિમાન હતું . તળાવના શહેરમાં પ્રણયનો ગુઢાર્થ હતો જેનું મે ખંડન કરીને જીવનમાં એક નવા પ્રેમને ઉપાર્જિત કર્યો છે .
ઉલ્ફત જ્યારે દિલ પર સવાર હોય છે ત્યારે જીવનમાં રંગીનિયો કંઈક અલગ હોય છે . મારી ઢળતી જિંદગીને ઓહ પ્રિયે તારું આશ્વસ્ત હતું . ઉપદ્રષ્ટા રહેશે તમામ કળીઓ ચમનની જ્યારે આપણે આત્મસાત્ હતા . મારા જીવનની તદૈક્યમા તુ મહોબબ્તનો મેળો લઈને આવી છુ . મને ખબર છે તારો મારા પરનો પ્રણય અનેક વિયોગની આંધીમાંથી પસાર થઈ તપ:પૂત થયો છે .
એક આજારમા વિલીન થતા જીવને તે તારી બાહોપાસમા સમાવી લીધો છે . કંઈ રીતે હુ વર્ણવું એ પહેલા આશ્લેષને જે બે ધબકતા દિલને એકરૂપ કરતું હતું . હવે આવવા દે ઓહ પ્રભુ તારી પાનખરને જીવનમાં મારે તેમના પગરવથી ઉત્ફુલ્લ થયો છે બાગ જીદગીનો .
મનોજ સંતોકી માનસ