મન મંથન 🙏સ્વનું.
ઈશ્વર નામનાં અદ્રશ્ય તત્વની શોધ ક્યાંથી કરવી?આત્માનાં મંથનથી કે વલોપાતથી ...આજીજી કે કાલાવાલા કરવાથી..મળશે? હું કેમ કહી શકું કે તે ક્યાંથી મળશે સૌ સૌની અલગ અલગ માન્યતા..વૈષ્ણવના જયશ્રી કૃષ્ણમાં, સ્વામીનારાયણના જય સ્વામીનારાયણમાં,જૈનો ના જયજિનેન્દ્રમાં કે કબીરના રામ કબીરમાં..કે જય માતાજીમાં...કે શબ્દોની શ્રદ્ધામાં?
જવાબની આશા રાખુંતો એટલોજ જવાબ મળશે..દરેકમાંથી અમારો ઈશ્વર જ સાચો..સો માથી સિત્તેર કહેશે. ત્રીસ જણાંને ફરિયાદ હશે ઈશ્વરના હોવા વિશે!
પણ દરેક ઘર્મની પરાકાષ્ઠા કહે છે* *હે ભક્ત તું વિશ્વાસને શ્રધ્ધા રાખ તારો આત્મા શુદ્ધ રાખ તો ઈશ્વરનુંસામીપ્ય તારી નજદીક છે*
*જયશ્રી પટેલ*
*૨૯/૭/૨૦૨૦*
🙏🙏🕉