#તરંગી
સાવ તરંગી સ્વભાવ હતો શિવમનો. લગ્ન પછી શિવમનો સ્વભાવ સુધરી જશે એમ માની શૈલીએ લગ્ન કરેલા. બે દિકરીઓના જન્મ પછી પણ એના સ્વભાવમાં કોઈ જ સુધારો નહીં. શિવમને ઘડીકમાં ધંધો કરવો હોય તો ઘડીકમાં નોકરીની ચાનક ચઢે પછી પાછળથી એકેયમાં ભલીવાર ન આવે. શિવમ ક્યારેક પોતાની મમ્મીની વાતોમાં આવીને શૈલી સાથે ઝઘડે અને ક્યારેક શિવમને શૈલીની વાત સાચી લાગે. ક્યારેક ક્યારેક તો શૈલીને પોતાના સ્વર્ગવાસી સસરા યાદ આવે. તેમણે સાચું જ કીધેલું , " સ્વભાવ તો લાકડે જ જાય. "