#શૂરવીર
શૂરવીર? કોને કહીશું શુરવીર? એ ક્યારે પુરવાર થાય?
જ્યારે કોઈ રણ મેદાન માં લડતા લડતા શહીદ થાય એજ કેહવાય શુરવીર??
અત્યારના સમય માં શુરવીરતા ક્યારે બતાવી શકાય? કોઈને કારણ વગર ઉતારી પાડવામાં, કે કઈક કોઈને દેખાડી દેવામાં? કે પછી પરસ્પર પ્રેમ, આદર, સાથ આપવામાં?
સાચી શુરવીરતા છે માતા પિતા નો ગર્વ પામીને
સાચી શુરવીરતા છે દિકરીયો ને માન આપીને
સાચી શુરવીરતા છે પર્યાવરણ નું જતન કરીને
સાચી શુરવીરતા છે વ્યસનો માં ન સપડાયિને
સાચી શુરવીરતા છે તમારી કાર્ય પ્રત્યે નિ નિષ્ઠા માં
આ જ અત્યારની આપણી શુરવીરતા બતાવવનું સાચું કુરુક્ષેત્ર છે.