અસહ્ય વેદનાં સહે સ્ત્રી ત્યારે બાળકનો જન્મ થાય છે
એ શૈશવની કિલ્કારમાં જ, “માં”નું અવતરણ થાય છે
પેટે પાટા બાંધી જ્યારે એ સઘળાં દુઃખ સહી જાય છે
ને તેં છતાં વરસો સુધી કેમ નવાં દુઃખ રોજ જન્માય છે
રડી લેતી એ છાસવારે એવું કહી એ કેમ વગોવાય છે?
નથી પૂછતું કો’ કદી શું સ્ત્રીથી કદી નિજ સ્વાર્થ રડાય છે
ઈચ્છાઓ સઘળી ધરબી ભિતર આયખું વીતી જાય છે
ને છતાં એને હ્રદય રોજ દર્દ કેટલાં નવાં કેમ જનમાય છે
– Mayur Anuvadia (આસક્ત)
#જન્મ