સિરિયા પર થયેલા મિસાઈલ હુમલાના તાર વિશ્વયુદ્ધ સાથે જોડાયેલા છે . અને યુદ્ધને સીધો ફાયદો અમેરીકા અને યુરોપના દેશને છે . ઘણા સમયથી આરબના અમુક દેશોને અમેરીકા ,યુરોપ અને રસિયાએ યુદ્ધ પરીક્ષણના સાધનોનો અડો બનાવી દીધો છે .
સિરિયા ગૃહયુદ્ધથી તુટી રહ્યું છે . જેનો સીધો લાભ અમેરીકા અને તેના પીઠુ દેશ લઈ રહ્યા છે . આજ ભારતમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે . છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ મુદ્દા પર દેશમા જાતીવાદના નામ પર કે જાતીના ઝંડા નીચે આંદોલન કરવામાં આવે . દેશની સંપત્તિને નિશાન બનાવવામા આવે છે . જમ્મુ થી કન્યાકુમારી સુધી એક કહેવાતો દેશ આજે રાજ્ય રાજ્યમાં , ગામ ગામમા કે શેરી શેરીમાં વહેંચાય ગયો છે .
કાવેરી જળ વિવાદ હોય કે અલગ ધર્મની માંગ હોય . બસ આંદોલન જ કરવાના . ચારસો વરસની યુરોપિસનની ગુલામી અને જાતી અને પક્ષને આધિન રહેલી માનસિકતા પુરા દેશને સિરિયા બનાવી ને જ રહેશે . કોઈને મતલબ નથી અહીં દેશથી પોતાની જાતી કે સમાજને કેમ અન્યાય થયો એ જ મહત્વની વાત છે .
જે લોકોએ એક બનીને આ દેશને આઝાદ કરવા માટે કાર્ય કર્યું તે જ મહાન લોકોને જાતીના આધારે વહેંચી દેવામાં આવ્યા . તેમના અરમાનોના ચિથડા ઉડાવી દેવામાં આવ્યા . પુરી દુનિયાને પ્રકાશ આપતો આ દેશ આજે અંધકારની ઓઠમાં પોતાનું મુખ છુપાવી રહ્યો છે .
ગીતોમાં જ રહી હોય છે આ દેશ “સારે જહાં સે અચ્છા” . વાસ્તવિકતા તો ખુબ દૈન્ય , હ્રદય કપાવતી , ભ્રષ્ટાચાર થી ખદબદતી , નિર્દોશોના રક્તથી રંજિત , ખેડુતોની આત્મહત્યા કરતી ન્યાયપ્રણાલિ છે . આપણે એ કલ્પનાવાદમા જીવી રહ્યા છીએ જ્યા માનવતા અને સભ્યતા મરી ચુકી છે .
નથી મને આ તમામ પ્રત્યે લાગણી અને નથી મારે આ બાબત સાથે કોઈ ગાઢ સંબધ આ તો ફક્ત મારા દિલની આગ ઠારવા લખું છુ . મારો સ્વાર્થ છે એટલે માટે , નહી લખું તો અંદર જલીને ખતમ થઈ જઈશ .
✍️મનોજ સંતોકી માનસ