Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મરી એક મસાલો છે જે સ્વાદની સાથે જ ઓષધિય ગુણોથી પણ ભરપૂર છે. તેને સલાડ, કાપેલા ફળ કે દાળ-શાક પર ભભરાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ ઘરેલું ઈલાજમાં પણ કરવામાં આવી શકે છે. આજે અમે આપને જણઆવી રહ્યા છે મરીના કેટલાક રામબાણ ઈલાજ પ્રયોગ.

- ત્વચા પર ક્યાં ય પણ ફોલ્લી ઉઠે તો મરી પાણીની સાથે પથ્થર પર ઘસી તે ફોલલ્લી પર લગાવાથી તે બેઠી જાય છે.

- મરીને સોઈથી છેદ કરી દીવાની જ્યોતથી સળગાવો. જ્યારે ધૂમાડો ઉઠે તો આ ધુંવાડો નાકથી અંદર ખેંચી લો. આ પ્રયોગ માથાનું દર્દ સારું થઈ જાય છે. હેડકી આવવાનું પણ બંધ થઈ જાય છે.

- મરી 20 ગ્રામ, જીરું 10 ગ્રામ અને શાકર કે ખાંડ 15 ગ્રામ એકસાથે પીસીને મેળવી લો આ સવાર-સાંજ પાણી સાથે ફાંકવાથી હરસના રોહમાં લાભ થાય છે.

- મધમાં પીસેલી મરી ભેલવી દિવસમાં ત્રણવાર ચાટવાતી ઉધરસ બંધ થાય છે.

- અડધી ચમચી પીસેલી મરી થોડા ઘીની સાથે મેળવીને રોજ સવાર-સાંજ નિયમિત ખાવાથી આંખની જ્યોતિ વધે છે.

- મરી 20 ગ્રામ, સૂઠ પીપર, જીરું તથા સિંધલું નમક બધું 10-10 ગ્રામ માત્રામાં પીસીને મેળવી લો. ભોજન પછી અડધી ચમચી ચૂરણ થોડાક પાણી સાથે ફાંકવાથી મંદાગ્નિ દૂર થાય છે.

- ચાર-પાંચ દાણા મરીની સાથે 15 દાણા કિશમિશ ચાવવાથી ઉધરસમાં લઆભ થાય છે.

- મરી બધા પ્રકારના સંક્રમણમાં લાભ આપે છે.

- બલ્ડ પ્રેશર લો રહે છે, તો દિવસમાં 2-3 વાર પાંચ દાણા મરીની સાથે 21 દાણા કિશમિશનું સેવન કરો.

- તાવમાં તુલસી તથા મરીનો કાઢો લાભ કરે છે.

નોંધ – આયુર્વેદિક ઉપાય સૌની પોતાની તાસીર પર આધાર રાખે છે માટે ચિકિત્સકની સલાહ અનુસાર ઉપાય કરવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111397133
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now