ક્યારે ખુલશે... સાચે હવે બહુજ કંટાળો આવી ગયો નઈ...???
તમારા રોજિંદા જીવન થી અલગ જીવન, એક અઠવાડિયું કે વધુ મા વધુ દસ દિવસ સારૂ લાગે..!!! વધુ નઈ... !!!
મોદીજી ને પણ ખ્યાલ છે આ પ્રજા ઘરે કંટાળે અને એટલેજ એ પણ આપણો ઉત્સાહ વધારવા થાળી વગાડવાનું કહે કે પ્રકાશ ફેલાવાનું કહે. !! તમે પણ આમ કંઈક નવું કરતા રહો..
પણ કંટાળશો નઈ આ સમય બસ એક જ વાર જીવવાનો છે... ફરી ક્યારેય નઈ આવે...
આ લોકડાઉન ના સમયે ઘણું શીખવ્યું અને ઘણું આપ્યું છે, પરિવાર, સાથે જમવાનું કે જમવાનું બનાવાનું, સાથે ચા નાસ્તો, સાથે રમવાનું, સાથે સુવાનું, ફુરસત નો અઢળક સમય જેની આપણે પહેલા રોજ ફરિયાદ કરતા હતા.. !! સાચું ને..??
તમારા, મારા અને આપણા પરિવાર ના હીત મા કરેલા લોકડાઉન માટે ધીરજ અને સમજશક્તિ થી કામ લેજો... 'કઈ થવાનું નથી', એવુ વિચારી ને લીધેલું પગલું, તમારા કુટુંબ, સોસાયટી, શહેર, રાજ્ય એને દેશ માટે જીવલેણ બની શકે છે... !!