સાંભળો તો એક ક્ષણની જ વાત છે, કહેવા બેસીશું તો વરસોનાં વરસ લાગશે, આમ તો કંઈ નથી, કેટલીક નહીં બનેલી ઘટનાઓની જ વાત છે.
આપણા દેશમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે એક વાર અે લોકો ચોટીલા મેઘાણીના ગામ ગયા હતા, પછી મેઘાણી સાહેબને કહે, "અમે તો એવું સાંભળ્યું છે, તમારા ગામમાં બહુ મોટા મોટા માણસો જન્મે,"ત્યારે મેઘાણીએ કહ્યું, "ના...રે... ના અમારે ત્યાં તો બાળકો જ જન્મે છે..."બોલો કરી દિધીને અંગ્રેજોની બોલતી બંધ...! કોઈનું ન સાંભળે એને કેવું સંભળાવી દીધું... જેનું રાજ હોય અે કંઇ હુકમ જ કરે એવું થોડું છે?
બહાર અફસર થઈને ફરતાં પુરુષોની દશા ઘરમાં જોવા જેવી હોય, પત્ની પાસે તો બચારો શ્રોતા ગણ જ હોય, લાગ મળે તો બોલે ને... એક દિવસ પત્ની ની તબિયત બરાબર નહોતી એટલે બન્ને ડોક્ટર પાસે સાથે ગયા, ડોક્ટરે ભાઈને પૂછ્યું,"શું થાય?"તો ભાઈ કહે, "ઘરવાળા...", ડોકટર સાહેબ સમજી ગયા કે, હવે કંઇ પૂછાય એવું નથી, એટલે બેનની નાડી જોવા લાગ્યા, થોડી વાર પછી કહ્યું,"આમ આમ છે, એટલે આમ આમ દવા લેજો."હવે ભાઈએ ડોકટરને કહ્યું,"એક વાત પૂછું", ડોક્ટર કહે,"હા...", ભાઈ કહે," આ parnyane 15 વરહ થયા તોય હું ના જાણી શક્યો કે, આને શું થયું છે.... ને તમે ત્રણ મિનિટમાં જાણી ગયા કે, આને શું થયું છે?"
બોલો આવું છે પુરુષો કંઇ સમજે નહીં કે સ્ત્રીઓને જાણવાની હોય, સાંભળવાની ન હોય... અને જો સાંભળ્યું તો એક કાનેથી બીજે કાને..,. હં.....એમ....
બાકી દરિયાની ગહરાઈને જાણી શકો તો સ્ત્રીના મનને જાણી શકો ... એટલે એને sambhlya વગર છૂટકો જ નહીં...
બાકી સંતો તો એવું કહે છે કે,"બાવન બારો જઈને SAMBHL... ત્યારે સાચો...." આમેય તે શબ્દ તો બોલીને શમી જાય છે, એનો નાદ જ SAMBHLVANO હોય છે... એ સંભળાય અને પછી સમજાય તો બેડો પાર... ધ્વનિને તો અવાજ છે એટલે ઘણી વાર તો ન SAMBHLVANU પણ smbhalay
.... એટલે જ કહેવાયું છે ને... શબ્દને નહીં maonne sambhlo... કેમકે maon તો અનહદ છે....
રક્ષા હરિહર ભાઈ દવે.
ભાવનગર.
મો.7984249710
#સાંભળો