અવનવી વાતો મનને ગમી સત્યભાસી બનતા કયા વાર લાગે છે,
છે લોકો મજાનાં જમાનામાં કે ઉપર ચડાવી પાડે ત્યારે હૈયે ફાળ લાગે છે,
ખુબ સંયમ અવસ્થામાં પણ કજીયે ચડતા વિચારોની વણઝાર લાગે છે,
ઈશ્વર પર શ્રધ્ધાની કેડી કંડારીને પાકી પણ કરીએ પણ તે વ્યર્થ બરબાદ લાગે છે,
પળને બંધ મુઠ્ઠીએ ભરીને કંઈક સપનાઓની કલ્પનાઓ પણ ધારદાર લાગે છે,
મનમાં ઘારેલા કૈંક અઘુરા કામોની યાદીઓનો હવે શીર પર ભાર લાગે છે,
અવનવી વાતો મનને ગમી સત્યભાસી બનતા કયા વાર લાગે છે.
પ્રા. ભવદિપ વી. ત્રિવેદી