મનની ચાર અવસ્થા છે.એમાંનું એક છે અંત: કરણ. અનંત જન્મોની વૃતિઓ આ અંતઃકરણમાં પડેલી છે. જે વૃતિઓને કારણે આપણને જન્મ મળેલો છે.એ વૃતિઓ આ શરીરને માધ્યમ બનાવીને સારા નરસા કર્મોનો ભોગવટો કરાવે છે. આ વૃતિઓનો કદી અંત આવે તેમ નથી. કેમ કે આપણું સુક્ષ્મ શરીર અનંત જન્મોની તૃષ્ણાઓને લઈને આ અંતઃકરણમાં બેઠું છે. એક- પછી એક વારા-ફરતી વૃતિઓ ઊભી થયા જ રાખે છે. ત્યાં પાછી આ જન્મની વૃતિઓ એમાં ભળીને વૃતિઓનો મોટો હિમાલય બનાવે છે. ગંજના ગંજ ખડકાતા જાય છે.. હજારો જન્મ લેવામાં આવે તો પણ આનો ભોગવટો પુરો થાય તેમ નથી. અંતઃકરણને વૃતિઓ વગરનું નિર્મળ કેમ કરવું...આમાંથી છુટવા શું કરવું...હવે પછી ક્યારેક ચર્ચા કરીશું - જય ગુરૂરામ.