આજે પ્રેમના દિવસે મેં પ્રેમની વાત ના કહી...😅
વાત કહેવાની હતી “નિયતિ" વિશે... એ રહી ગયું એટલે જ આ લખવા બેસવું પડ્યું. જે વાર્તા ફેસબુક પર મારા વાચક મિત્રોએ વાંચેલી એમાં છેલ્લે ક્રિષ્નાનું મૃત્યુ થાય છે અને મુરલી એકલો રહી જાય છે. બસ, એ અંત મને જરાય નહતો ગમ્યો એને મેં બદલ્યો છે. નવી વાર્તામાં ક્રિષ્નાના મૃત્યુ બાદ મુરલીના જીવનમાં એનો પ્રેમ પાછો ફરે છે...
એકલો રહેવા શીખી રહેલો મુરલી એની દીકરી સાથે દિવસો પસાર કરતો હોય છે અને ત્યારે જ એના જીવનમાં એક શુભ દિવસે પ્રેમ ફરીથી દસ્તક દે છે... ક્રિષ્ના ફરી એના જીવનમાં પ્રવેશે છે એક નવા જ સ્વરૂપે...
આ વખતે અંતમાં તમને દુઃખ નહીં થાય પણ કંઇક સારી લાગણી તમે અનુભવી શકશો...👍
મારી નવલકથાની શરૂઆતની લાઈન યાદ છે?
એક ગીતથી એ શરૂ થયેલી, “તેરા સાથ હૈ કિતના પ્યારા, કમ લગતા હૈ જીવન સારા, તેરે મિલન કી લગન મેં, હમે આના પડેગા દુનિયા મેં દુબારા..."
કુછ સમજે ક્યા? 😅😅😅
#નિયતિ