*એક નવો રોગ…*
એક યુવાન લવારા કરતો આવ્યો.
મેં એને તપાસ્યો.
હૃદયની ધોરી નસમાં ગુલાબની તાજી
પાંખડીઓ ભેરવાઈ ગઈ હતી.
શ્વાસનળીમાં પારેવડાનો
ટહુકો ફસાયો હતો.
આંસુ ગુલાબી થઈ ગયા હતા.
હોજરીમાં ચાંદનીના
ચાંદા પડ્યા હતા.
સ્વરપેટી પર કોઈના
કામણગારા નામના સોજા હતા.
સગા પૂછે છે, “સાહેબ એને શું થયું છે?’
મેં કહ્યું : “ખાસ કંઈ નથી,
જરા ઝેરી વેલેન્ટાઈ
ની અસર જેવું છે.“
સગા પુછે છે, “સાહેબ,શું કરીએ?”
મેં કહ્યું : “એને ઉજાગરા કરવા દો,
ખાવાનું અનિયમિત બનાવી દો,
દાઢી વધારવા દો,
મીકા તથા હની સિંઘ સંભળાવો ,
અને કાનમાં જોરથી
‘શકિરા શકિરા‘ બોલો,
એટલે સાજો થઈ જશે.“
- ડો. મુકુલ ચોકસી