કોઈ વ્યક્તિ કરતાં તો તમારા રૂમની બારી તમને વધારે ઓળખતી હશે,સુખ હોય કે દુઃખ કે પછી રાત્રે ભલે ગમે એટલા વાગી જાય પણ એ હંમેશા તમારી સાથે હોય છે,જ્યારે લાઈફ માં કોઈ સાથ ન આપે ત્યારે એની સાથે બધી વાત share કરતા હોઈએ છીએ,કોઈ વ્યક્તિની યાદ આવે ત્યારે પણ બારી પર બેસી ને બસ એના જ વિચારોમાં ખોવાય જવું,જ્યારે લાઈફ માં ઘણા બધા લોકો હોય પણ કોઈ પણ તમને સમજે નહી ત્યારે મોડે સુધી બારી પર બેસી અને બસ ઊંડા વિચારોમાં ખોવાઈ જવું ,તમારી લાઈફ માં તમારા કોઈ વ્યક્તિ કરતાં તો તમારા ઘરની બારી ને વધારે ખબર હશે કે તમારી લાઈફ માં શું ચાલી રહ્યું છે,જ્યાં સુધી તમે જાગો છો ત્યાં સુધી એ પણ સાથ આપે છે અને ક્યારેય એમ નથી કહેતી કે તારા આ બધા દુઃખ બધા વિચારો મારી સાથે share ના કરીશ ....