Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુર્ભાગ્ય દૂર કરવા મકરસંક્રાંતિ પર તલનો આ રીતે કરજો ઉપયોગ
મકરસંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો પર્વ, આ માન્યતા યુવાવર્ગના માનસમાં ઘર કરી ગઈ છે. પરંતુ આ દિવસ દાન-પુણ્ય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે. મકર સંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. મકરસંક્રાતિના દિવસે ઘરમાં વિવિધ પ્રકારના પકવાન પણ બને છે. આ દરેક વાનગીમાં તલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કારણ કે આ દિવસે તલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસને વધારે શુભ અને લાભદાયી બનાવવા માટે તલનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. સ્નાન પહેલા તલના તેલની શરીરે માલિશ કરવી ત્યારબાદ સ્નાન કરી સૂર્ય દેવની પૂજા કરવાથી સૂર્યકૃપા તમારા પર થશે. આ ઉપરાંત તલના અન્ય ઉપાયો કરવાથી પણ લાભ થાય છે. કયા છે આ ઉપાય જાણી લો આજે તમે પણ.

મકરસંક્રાંતિના દિવસે તાંબાના કળશમાં તલ ભરી તેના ઉપર ગોળનો ટુકડો રાખી બ્રાહ્મણોને દાન કરી દેવું.

– સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની સામગ્રીઓ સાથે તલમાંથી બનેલી ખાદ્ય સામગ્રી દાન કરવી.

– નહાવાના પાણીમાં સફેદ તલ પધરાવી દેવા અને તેનાથી સ્નાન કરવું.

– સફેદ તલનું યથાશક્તિ યોગ્ય વ્યક્તિને દાન કરવું.

– ભગવાનને ભોગમાં તલ ગોળ ધરાવવા અને તે પ્રસાદ સ્વયં ભોજન કરતાં પહેલાં ગ્રહણ કરવો.

મકરસંક્રાંતિના દિવસે તલને વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે આ દિવસે તેલના ઉપયોગનું સૌથી વધારે મહત્વ હોય છે. આ કાર્યો કરવાથી દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયની સેવા કરવાનું પણ મહત્વ રહેલું છે. આ દિવસે ઘરમાં બનેલા ભોજનમાંથી સૌથી પહેલા ગાયને ભોજન કરાવવું. ભોજનની સામગ્રી ખવડાવ્યા બાદ પાણી પણ પીવડાવવું. આ કર્મ કરવાથી પિતૃદોષ પણ શાંત થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111321653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now