સંબંધે સંબંધે
થોડો ફરક મળશે,
ક્યાંક ઉજરડા તો
ક્યાંક મલમ મળશે.
નિભાવશો સંબંધ
સ્નેહથી...
તો પણ ક્યાંક દુર્યોધન,
ને ક્યાંક સુદામો મળશે..!!
ઉંમરને હરાવી હોય તો
શોખ જીવતા રાખો .
સાંભળ્યું છે કે હૃદય પર
કરચલીઓ નથી પડતી
બે પળની છે જીંદગી
તોય જીવાતી નથી ..
એક પળ ખોવાઇ ગઇ છે ..
બીજી સચવાતી નથી ..
પત્તામાં જોકર અને અંગતની ઠોકર
હમેશા બાજી પલ્ટી નાખે છે.
અસ્તિત્વ પર ઘણાં
"ઉઝરડા" થાય છે,
ત્યારે ....
એક માણસ
"સમજદાર" થાય છે..!!