*સત્ય ધટના*
*સન ૧૮૮૧ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો...આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોણે બનાવ્યું છે? શું પરમ કૃપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?*
*વિદ્યાર્થી – હા સાહેબ..*
*પ્રોફેસર – તો પછી સેતાનને કોણે બનાવ્યો? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?*
*વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..*
*સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું? પ્રોફેસરે સમંતિ આપી..*
*વિદ્યાર્થી - શું ઠંડી જેવું કાંઈ હોય છે?*
*પ્રોફેસર - ચોક્કસ હોય છે..*
*વિદ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.*
*વિદ્યાર્થીએ બીજો પ્રશ્ન કર્યો...*
*શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે?*
*પ્રોફેસર – હાસ્તો ધરાવે છે...*
*વિદ્યાર્થી – સાહેબ તમે આ વખતે પણ ખોટા છો...ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી...ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..જેવુ અજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે.*
*સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી..*
*તેવી જ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ, વિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે...*
*જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે...*
*આ વિદ્યાર્થીનું નામ હતું...........*
*સ્વામી વિવેકાનંદ.*???
???????
*? સંવેદના ના ઝરણાઓ ?*