# ગાંધીગીરી
બાપુને કેમ ભૂલાય !
બાપુને કેમ ભૂલાય! તમે જ કહો,
બાપુને કેમ ભૂલાય!
આશ્રમવાસી થયા દેશને કાજે,
સત્ય અહિંસાની સુકાન ... તમે જ કહો..
સ્વચ્છતા કેરા પાઠ ભણાવ્યા,
સ્વાવલંબનનું આપ્યું જ્ઞાન..તમે જ કહો...
દાંડીની કૂચને આકાર આપ્યો,
મીઠાનો કર કર્યો માફ....તમે જ કહો...
અસહકારની ચળવળ કરીને,
વિદેશી ચીજો બહિષ્કાર... તમે જ કહો..
વૈષ્ણવજન તો તેને રે કહીએ ,
ભજન કર્યું આત્મસાત્.....તમે જ કહો..
મહાત્માનું બિરુદ પામ્યા,
રાષ્ટ્રપિતાનું પામ્યા સ્થાન ...તમે જ કહો..
ઉર્વી પંચાલ "ઉરુ"