Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આ મેસેજ નિરાંતે વાંચજો. હું જયારે જયારે અસમજણમાં હોઉં ત્યારે નિરાંતે વાંચીને નિશ્ચિંત થઇ જાઉં છું. આપ સૌને આમાંથી સમજ અને બળ મળશે.*

*શ્રી કૃષ્ણ* ભગવાનની કથા એમ કહે છે કે તેઓ *જન્મ્યા* પહેલા જ તેમને *મારી નાખવાની* તૈયારી થઇ ગઈ હતી. પણ તેમાંથી તેઓ *આબાદ* ઉગરી ગયા. આગળ તેમના જીવનમાં ઘણા *સંકટો* આવ્યા પણ તેઓ *લડતા* રહ્યા કોઈને કોઈ *યુક્તિ* કરીને હંમેશા બચતા રહ્યા.

કોઈ *પ્રસંગમાં* તો તેઓ *રણ* છોડી ભાગી પણ ગયા હતા, પણ મારા *જીવન* માં આટલી બધી *તકલીફો* કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ કોઈને પણ પોતાની *જન્મકુંડળી* બતાવવા ગયા હોય એવી કોઈ નોધ મેં નથી વાંચી. ના કોઈ *ઉપવાસ* કર્યા, ના *ખુલ્લા પગે* ક્યાંય ચાલવાની *માનતા* કરી, કે કોઈ *માતાજીના ભુવા* પાસે *દાણા* જોવડાવ્યા.

આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે.

તેમણે તો *યજ્ઞ* કર્યો તે ફક્ત અને ફક્ત *કર્મોનો*.

યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન *શ્રી કૃષ્ણ* એ ના તો અર્જુનના *જન્માક્ષર* જોયા, ના તો તેને કોઈ *દોરો* કે *તાવીજ* આપ્યા, આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુનને સ્પષ્ટ કહી દીધું.

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી. બાકી *શ્રી કૃષ્ણ* ભગવાન ખુદ *મહાન યોદ્ધા* હતા. તેઓ *એકલા હાથે* આખી *કૌરવોની સેના* ને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને *શસ્ત્ર* હાથ માં નહોતું પકડ્યું. પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના *સારથી (માર્ગદર્શક)* બનવા તૈયાર હતા.

આ રીતે ભગવાન *શ્રી કૃષ્ણ* સમજાવે છે કે જો દુનિયાની તકલીફોમાં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તારી *તકલીફો* ને હું હળવી કરી નાખીશ અને તને *માર્ગદર્શન* પણ આપીશ. કદાચ આજ *ગીતા* નો સહુથી સંક્ષિપ્ત *સાર* છે.

જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાનને એટલી જ વિનંતી કરું કે ભગવાન મારી *તકલીફો* થી લડવાની મને *શક્તિ* આપજો. નહિ કે ભગવાન મારી *તકલીફો* થી *છુટકારો* આપજો.

ભગવાન મારી પાસે *ઉપવાસ* નથી માંગતા, નહિ કે તું *ચાલતો* આવ કે બીજું કંઈ, ભગવાન માંગે છે તો મારું *સ્વાર્થ વગરનું કર્મ*, માટે મારે *કર્મ* કરતા રહેવું.

*જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ...*
??
⚜⚜⚜

Gujarati Whatsapp-Status by Umakant : 111241924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now