*આ મેસેજ નિરાંતે વાંચજો. હું જયારે જયારે અસમજણમાં હોઉં ત્યારે નિરાંતે વાંચીને નિશ્ચિંત થઇ જાઉં છું. આપ સૌને આમાંથી સમજ અને બળ મળશે.*
*શ્રી કૃષ્ણ* ભગવાનની કથા એમ કહે છે કે તેઓ *જન્મ્યા* પહેલા જ તેમને *મારી નાખવાની* તૈયારી થઇ ગઈ હતી. પણ તેમાંથી તેઓ *આબાદ* ઉગરી ગયા. આગળ તેમના જીવનમાં ઘણા *સંકટો* આવ્યા પણ તેઓ *લડતા* રહ્યા કોઈને કોઈ *યુક્તિ* કરીને હંમેશા બચતા રહ્યા.
કોઈ *પ્રસંગમાં* તો તેઓ *રણ* છોડી ભાગી પણ ગયા હતા, પણ મારા *જીવન* માં આટલી બધી *તકલીફો* કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ કોઈને પણ પોતાની *જન્મકુંડળી* બતાવવા ગયા હોય એવી કોઈ નોધ મેં નથી વાંચી. ના કોઈ *ઉપવાસ* કર્યા, ના *ખુલ્લા પગે* ક્યાંય ચાલવાની *માનતા* કરી, કે કોઈ *માતાજીના ભુવા* પાસે *દાણા* જોવડાવ્યા.
આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે.
તેમણે તો *યજ્ઞ* કર્યો તે ફક્ત અને ફક્ત *કર્મોનો*.
યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન *શ્રી કૃષ્ણ* એ ના તો અર્જુનના *જન્માક્ષર* જોયા, ના તો તેને કોઈ *દોરો* કે *તાવીજ* આપ્યા, આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુનને સ્પષ્ટ કહી દીધું.
અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી. બાકી *શ્રી કૃષ્ણ* ભગવાન ખુદ *મહાન યોદ્ધા* હતા. તેઓ *એકલા હાથે* આખી *કૌરવોની સેના* ને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને *શસ્ત્ર* હાથ માં નહોતું પકડ્યું. પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના *સારથી (માર્ગદર્શક)* બનવા તૈયાર હતા.
આ રીતે ભગવાન *શ્રી કૃષ્ણ* સમજાવે છે કે જો દુનિયાની તકલીફોમાં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તારી *તકલીફો* ને હું હળવી કરી નાખીશ અને તને *માર્ગદર્શન* પણ આપીશ. કદાચ આજ *ગીતા* નો સહુથી સંક્ષિપ્ત *સાર* છે.
જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાનને એટલી જ વિનંતી કરું કે ભગવાન મારી *તકલીફો* થી લડવાની મને *શક્તિ* આપજો. નહિ કે ભગવાન મારી *તકલીફો* થી *છુટકારો* આપજો.
ભગવાન મારી પાસે *ઉપવાસ* નથી માંગતા, નહિ કે તું *ચાલતો* આવ કે બીજું કંઈ, ભગવાન માંગે છે તો મારું *સ્વાર્થ વગરનું કર્મ*, માટે મારે *કર્મ* કરતા રહેવું.
*જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ...*
??
⚜⚜⚜