ડૉ.કમલેશ ભોગાયતા ૩૧મી જુઆઈએ વડોદરામાં આભ ફાટ્યું ત્યારે ફસાઈ ગયેલાં...
સતત ૧૪ કલાક પાણીમાં રહ્યાં બાદ એમના પર જે વીત્યું એ એમણે ડાયરીમાં લખ્યું છે એમની બે વાત મને સ્પર્શી ગઈ,
૧) એમની નવી નકોર લીધેલી ગાડીને જ્યારે પહેલો સ્ક્રેચ પડેલો ત્યારે એમને બહુ દુઃખ થયેલું આજે એ જ સાત લાખની ગાડીને નજર સામે પૂરમાં તણાતી જોઇને પણ એમને એટલું દુઃખ નહતું થયું... જીવ બચી ગયો એટલો સંતોષ હતો!
જીવથી વધારે કિંમતી કંઈ જ નથી!
૨) બધા પુર પીડિત લોકો જાતિ ધર્મ ભૂલીને એકબીજાની મદદ કરી રહ્યાં હતાં. લોકોની ભીડ જોઈ ડોમીનોઝ વાળાએ એની દુકાન ગંદી ના થાય એ માટે બંધ કરી દીધી ત્યારે દાબેલીની લારી લઈ ઊભેલા એક ભાઈએ બધાને ફ્રીમાં દાબેલી ખવડાવી એમની ભૂખ સંતોષી હતી!
દિલ મોટું હોવું જોઈએ દુકાન નહિ!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?