*અષાઢી બીજ* લેખ... 4-7-2019
અષાઢી બીજના દિવસે ઓરિસ્સા અને અમદાવાદ શહેરમાં જગન્નાથજી ની રથયાત્રા નિકળે છે અને નગરયાત્રા કરે છે. અષાઢી બીજ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવામાં આવે છે. અષાઢી બીજ એ કચ્છીઓ નું નવુ વર્ષ ચાલુ થાય છે અને આ દિવસે કચ્છ, ભુજમાં મોટા મેળાનુ આયોજન કરવામાં આવે છે. અષાઢી બીજ એટલે અષાઢી નવરાત્રિ નુ બીજું નોરતુ જેનો આગવો મહિમા છે. આમ આપણા ભારત દેશમાં ઉત્સવ નો માહોલ સર્જાય છે. અષાઢી બીજના દિવસે જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથયાત્રા કરી શહેરીજનો ને દર્શનનો અનેરો લાભ આપે છે. અષાઢી બીજના જય હો. જય જગન્નાથજી. આષાઢી બીજના કચ્છીજનોને નવુ વર્ષ મુબારક....
ભાવના ભટ્ટ અમદાવાદ....