Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૧) ચરિત્ર એટલે શું? :-

ગઇ કાલે તો કેવા કેવા તર્ક વિતર્ક કરી નાખ્યાં યાર....!!! બાપ રે... બાપ... એક સામાન્ય પ્રશ્નને આટલો ગંભીર પ્રતિભાવ?...
પ્રશ્ન હતો,"ચરિત્ર એટલે શું?"
ઉત્તરો મળ્યા ઉત્તમ ચરિત્રવાન કે ચરિત્રહિનતા કોને કહેવાય પર...
આપણે શું લેવા દેવા...(કંઇ જ નહીં )
સાબીતીની જરૂર નથી...( માંગી પણ કોણે?)
ઇશ્વર જુએ...(એ તો છે જ...)

અરે મિત્રો... પણ જે આપણે નથી જાણતા એ જાણવાનો પ્રયાસ તો કરો... ઇશ્વર તો તમને "ભૂખ્યા ના સૂવાડવા" પણ બંધાયેલો છે, તો કેમ ઘર,પરિવાર મૂકીને સવાર સવારમાં નિકળી પડો છો કમાણી કરવાના આ ગાડરીયા પ્રવાહમાં???
ઘેર જ બેઠા રહો ને... પરિવારની સાથે... પેટ તો આમેય ઇશ્વર ભરી જ દેવાનો છે...છતાંય આપણે જો આંધળી દોટ મૂકીએ છિયે એ રોટલા પાછડ જે ઇશ્વર દ્વારા નિશ્ચિત પણે ભૂખ લાગ્યે આપણી પાસે પહોંચશે જ...
તો એટલું જ અનિવાર્ય છે એ જાણવું કે
"ચરિત્ર એટલે શું?" કોનું કેવું એ તો ઇશ્વર નક્કી કરે જ છે... આમાં "દૂધે ધોવાયેલો" હું પણ નથી...

ચલો છોડો એ બધું... તો ક્યાં હતાં આપણે...??? હમમ... હા, ચરિત્ર...

ટૂંકમાં કહું તો ચરિત્ર એટલે,
" કોઇપણ વ્યક્તિના જીવનકાળની પ્રવૃત્તિઓનું આલેખન"...

ચરિત્રને માત્ર વિષય ભોગથી જ માપવું યોગ્ય નથી, ચરિત્ર બહુ મોટો વિષય છે. તમે કોઈ અન્યાય સામે મોઢું બંધ રાખ્યુ તો ચરિત્ર ભંગ છે. તમે ઇમાનદાર વ્યક્તિની ભર્ત્સના મૂંગે મોઢે નિહાળી તો તે ચરિત્ર ભંગ છે. તમે વ્યવસ્થામાં ઘણી ખામીઓ જોઈને પછી પણ ચૂપ રહેવાનું પસંદ કર્યુ તો તે ચરિત્ર ભંગ છે. જ્યારે સમાજમાં દ્વંદ, ક્લેશ કે ભેદભાવ ઉભો થાય ત્યારે દુર્બળને તેમના હાલ ઉપર છોડી દઈને બળિયાની પડખે જઈને ઉભા રહે તેનું ચરિત્ર સારુ ગણાય શું?

રાષ્ટ્રકવિ દિનકરની રચનાની આ પંક્તિઓ ઘણુ કહી જાય છે…

"સમર શેષ હૈ,
નહીં પાપ કા ભાગી કૈવલ વ્યાઘ,

જો તટસ્થ હૈ,
સમય લિખેગા ઉનકા ભી અપરાધ"

કોઈ ગરીબ, કમજોર, વંચિત, તકલીફમાં ફસાયેલા વ્યક્તિના સ્થાને જઈને એમના દુખને સમજે અને તેને હળવું કરવાનો પ્રયાસ કરે તે ચરિત્રવાન છે. 

૨) ચરિત્રની સાચી વ્યાખ્યા :-

સુબ્રમણ્યમ સ્વામીના પુસ્તક,
“હિંદુત્વ એવમ્ રાષ્ટ્રીય પુનરુત્થાન”માં ચરિત્રને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યુ છે,
“માણસની પાંચ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા,
૧)સંજ્ઞાત્મક.
૨)ભાવનાત્મક.
૩) રચનાત્મક.
૪) સામાજિક.
૫) ધાર્મિક.
હોય તો કહી શકાય કે તેમનું ચરિત્ર સંપૂર્ણ વિકસીત છે.”

૩) કોણ નક્કી કરે છે ચરિત્રના માપદંડ :-
ઉપરોક્ત બૌદ્ધિક ક્ષમતા ના આધાર પર મનુષ્ય સ્વયં નક્કી કરે છે પોતાના ચરિત્રના માપદંડ...નહીં કે ચોકે ચડેલો લોકડાયરો...
અને એ ચરિત્રના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે જે તે વ્યક્તિના જીવનકાળની પરિસ્થિતિઓ...

૪) ચરિત્રની પવિત્રતાનો આધાર શું છે? :-

વ્યક્તિના ચરિત્રની પવિત્રતાનો આધાર છે એ વ્યક્તિની સૃષ્ટીના સમગ્ર જીવ પ્રત્યેની કરુણા, સમભાવના અને પારદર્શકતા...
જે વ્યક્તિ પોતાના પહેલાં અન્યના સુખની કામના તથા ચેષ્ઠા કરે એજ ઉત્તમ ચરિત્રવાન ગણાય છે... નબળી વ્યક્તિ પર સમાજના ખોટા દબાણ પર એ સંપૂર્ણ સમાજનો વિરોધ કરી સમાજને સાચી રાહ બતાવનાર છે ઉત્તમ ચરિત્રવાન... આમ "વસુધૈવ કુટુંબકમ્‌" ની ભાવના જ આધાર છે,ચરિત્રની પવિત્રતાનો...

જય ભોળાનાથ....
હર હર મહાદેવ... હર...

( મારા જ્ઞાન,અનુભવ અને બુદ્ધિક્ષમતાના આધાર પર આ મારો સ્વગત અભિપ્રાય છે,આમાં કોઇને કંઈ ભૂલ, ક્ષતી,અપૂર્ણતા કે અયોગ્યતા જણાય તો એ માટે હું ક્ષમાપ્રાર્થી છું... )

Gujarati Motivational by Kamlesh : 111174760
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now