#kavyotsav2
*ઈશ્ચરને ફરિયાદ * 3-5-2019
ફરિયાદ લઈને કેટલી હું આમ ભટકું છું,
ઈશ તારા જ દરબારમાં સેંકડો શ્રધ્ધા ધરી ઉભી છું.
સંબંધોના ભલે થતા વાર પર વારથી હું ટંકાયી છું,
ટંકાયા પછી ઈશ દરબારમાં એટલે જ આવી છું.
ભાવના ઉપર જે મિનારા મઢી ઝરોખામાં બેઠા છે,
ફરિયાદ ઈશ એક જ લઈ તારે શરણે આવ્યા છે.
પશ્ચિમની સંસ્કૃતિના રવાડે ભૂલ્યા માવતર છે,
ફરિયાદ પણ ક્યાં કરવી, જણ્યા જ દગો દે છે.
દુનિયા આમજ ઉંધમૂધ ઘેટા બની ચાલ્યું છે,
કોઈને કોઈની પરવા નથી, ફરિયાદ કોણ સાંભળે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....