વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે,
હે પ્રભુ,તુજ નામ નું રટણ મને ઉગારે !
અનપેક્ષિત ઘટના ઓ થી ઘેરાઈ જાઉં ત્યારે,
હે પ્રભુ, તારૂં સ્મરણ મને બચાવે !
ભ્રમિત ભયથી ભયભીત થાઉં ત્યારે,
હે પ્રભુ, તારી અનુભૂતિ મને હિંમત આપે !
દુન્યવી દુઃખોથી દોરાઈ જાઉં ત્યારે,
હે પ્રભુ, તારો સાથ મને સાચી રાહ બતાવે !
ડૉ.સેજલ દેસાઈ ?