કોઈ દિવસ નહિ ને આજે ૨૬ વર્ષ ની નોકરી માં ના બનવાનું બન્યું. કામ માં દક્ષ ને ખંતીલી હતી , પણ એને વગર વાંકે સાહેબે બધાની વચ્ચે ઠપકો આપ્યો.
ના તો મા-બાપ લડેલા, ના સાસુ-સસરા ! આજ દિન સુધી કોઈ જ ના મોઢે ઠપકો નહોતો મળ્યો ! સત્તા આગળ કંઈ સફાઈ પણ ના આપી શકી, બસ માત્ર એની આંખો અવિરત અશ્રુધારા વહાવતી રહી. પાંચ દિવસ ના અંતે પણ જયારે એનાં આંસુ ના સુકાયાં, ત્યારે એની ખાસ ફ્રેન્ડ એ એને મેસેજ મોકલ્યો ,”જ્યાં સુધી તમે ગુનેગાર ને માફ નથી કરતાં, ત્યાં સુધી તમે એ તમારા દિલમાં જગ્યા રોકી ને રહે છે , ને સાથે નકારાત્મકતા આવે છે , એટલે જીવન માં માફી આપતાં શીખવું જોઈએ ! “
ઘણી વાર આપણી સાથે અન્યાય થાય ત્યારે આપણા મગજ માં એ જ વિચારો સતત ચાલ્યા કરે છે, અને અકળામણ, ચીડ ને ગુસ્સો આવી જાય છે. જયારે હાથમાં કંઈ ઉકેલ ના હોય, ત્યારે એને માફ કરી ભગવાન ની ઉપર છોડી દો.. એ તો બધું જુવે જ છે ને !!