-કૃષ્ણ એક સૌંદર્યમય શાશ્વત સત્ય.
તું કશીશ છે કે કરિશ્મો..!!
ખબર નથી.
પણ તું આ વિશ્વની સર્જનકારક
અજાયબી તો જરૂર છે જ.
ભલે તું પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો..!!
પણ કદાચ તને સંપૂર્ણ ઓળખવો અસંભવ જ છે.
તું રાજનીતિજ્ઞ તરીકે કપટી પણ કહેવાયો..!!!
તોય કામણગારો તો તું જ કહેવાયો.
રણછોડી ને પણ ધર્મ નિભાવી જાણ્યો..!!
ને તોય અંતે ઉત્તમ પ્રેમી તરીકે તો તું જ ગવાયો.
ને ઓ પીતાંબરધારી રાધાની વાંસળી વગાડી તેઅદભુત ગીતો ગાયા...!!
તો કુરુક્ષેત્ર માં શંખ ફૂંકી ગીતા ની ગરિમા પણ તે જ ગાઈ.
તેથી જ એક શાશ્વત સત્ય બસ કૃષ્ણ જ કહેવાયો.