વેર વ્યસન અને ટેન્શન ટુકૂ કરે જીવન,
મોહમાયા અભિમાન અને માન ઘટાડે અભદ્ર વર્તન.
ક્રોધ લોભ દંભ જુઠા બોલાવે વચન,
મન મોજે કરી લો હરિ નામ નું કિર્તન,
નહીં રે કાયા કામ કરશે ના દેશે કોઇ શરન.
દેહ તારો કરતો હશે ચિતા એ શયન ,
હૈયાના કાચા તાંતણાના ટુટસે બંધન.
"નર"કહે પલ ભર અશ્રુ ભીના હશે નયન,
હિતેશુ વધી ને આક્રંદ કરશે રૂદન.
દેહ પંચમહાભૂતમાં થશે વિલિન,
અને સાથે આવનાર જતા રહેશે કરિ ને વંદન.