તે મારા એકાંત ને
હમેંશા શ્વસી શકું એવો કિનારો આપ્યો છે,
તો મારી એકલતા ને
અનેક દ્વંદો માંથી મુક્ત કરતો અનંત વિસામો આપ્યો છે,
ને મારા પ્રેમ ને તે ખૂબ લાગણીભર્યો સહારો આપ્યો છે,
એટલે જ ઓ મારા કાન્હા
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી
તમારી સાથે નો પનારો તો જોઈએ જ છે મને....