શબ્દો નો કોઈ મોલ નથી હોતો, પણ લખ્યા પછી એનો તોલ જરૂર થાય છે.
માણસ ને લખતા આવડે,
પણ પાચન કરતા નથી આવડતું.કોઈ બે શબ્દો શું બોલ્યા જગ જાહેર કરી નાખે,પેલા એ પેલા ને આવું કીધું,આજ મને નફરત થઇ ગઈ સંબંધ નામ થી.
હવે તો સોશ્યલ મીડિયા નો જમાનો,એટલે મન ભરી કટાસ નીકળે,શબ્દો થી,ક્યારેક કવિતા રૂપે,બદનામ કરે,સંબંધો ને,ક્યારેક બે ચાર પંક્તિ લખી બદનામ કરે.
મેં આજ સુધી જેટલી પણ પોસ્ટ મોબાઇલ માં આવતા જોઈ છે,એમાંની 80% પોસ્ટ તો ખાલી એકબીજા પ્રત્યે નફરત ભરેલી હોય,કટાસ ભરેલી હોય,એકબીજા થી ઊંચા દેખાવાની પોસ્ટ હોય છે...
અને 20% પાછી જેવી તેવી સો બાજી કરતી પોસ્ટ હોય ભાઈ બહેન ની માઁ બાપ ની,પતિ પત્ની ની,દુનિયા દારી,સજાવટ વાળી.
સોશ્યલ મિડયા જેવો પ્લેટફોર્મ મળ્યો છે,તો એવા સંદેશ મોકલો કે લોકો ને મન માં સારા જ વિચાર આવે,ખરાબ કામ કરતો હોય એ પણ એકવાર અફસોસ કરે,એવી પોસ્ટ મૂકો,તમને અને તમારા પરિવાર ને ઘર ની બાહર નીકળવા માં આનંદ આવશે,એક સુકુન મળશે.