માંગવું જ હોય તો ભગવાન આપવા બેઠો જ છે ને પણ માંગ્યા વગર નું આપે એ જ ભગવાન. એને ખબર છે મારે શું જોઈએ છે પણ એ મને યોગ્ય વસ્તુ આપે એવું હું ઈચ્છું છું. રૈદાસ ચમાર હતા તેણે નરસિંહ ને પણ ઠપકો આપ્યો હતો કે એ તો માંગ્યા જ રાખે છે ભગવાન પાસે. કેટલા ધક્કા ખવડાવ્યા ખુદ ભગવાનને એક વખતમા મુક્તિ જ માંગી લીધી હોત તો. એટલે રૈદાસજી મીરાંબાઈ ના ગુરુ હતા. ને નરસિંહ ને તો ભગવાન સાક્ષાત મલ્યા તોય શુ માગ્યું નાત માટે વરદાન. લૌકિક રસ્તે તો ઘણું માગી શકાય ને અપેક્ષાઓ તો પૂર્ણ થવાની જ નથી ને. માંગતા નહિ ધીરજ રાખતા શીખીએ. ને ગમતું મળે તોય ગુંજે ન ભરીએ. મળે તો ખુશ ને ન મળે તો એનાથી સારું મળવાની આસ, એ જ તો છે ખેલદિલી...