લૈને ત્રાજવું ન્યાયનુંને હિસાબ કરે છે વિધાતા.
સારાં નરસાંનું એ પરિણામ આપે છે વિધાતા.
સુખદુઃખ આખરે કર્મફળ આપણું સમજવું,
ના કોઈની કશીયે લાગવગ રાખે છે વિધાતા.
મળી જાય મનભાવન તો સત્કાર્યનું ફળ એ,
પાપના હિસાબે યાતનાઓ લખે છે વિધાતા.
સરજાય છે ભાવિ આપણાં કર્મો અનુસાર,
કર્મના માપદંડ થકી સહુને માપે છે વિધાતા.
સત્તા કર્મની સર્વોપરીને આખરી માનવી રહી,
પુણ્યપાથેય સંગ લેનારને સરાહે છે વિધાતા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.