#AB ?kunj
આમ તો કોઈ કારણ નથી..
આમ તો કોઈ કારણ નથી શાંત થવાનું..
પોતાના જ વ્યક્તિઓ ને બદલાતા જોઈ ને
ચકિત થઈ જવાયું..
જેને મારું સર્વસ્વ સોંપ્યું..
એણે જ મારું સઘળું છીનવ્યુ..
તેથી દંગ રહી જવાયું..
આપ્યા હતા વચન જેણે
જીવન મરણ ના..
એણે જ વચન તોડયું..
સાત જનમ સાથે રહેશુ,.
કહેનારા એ જ મધ દરિયે કહયું..
જા હવે તું તારા રસ્તે,
હવે કાંઈ નથી તારામા રહયું..
કોને સહારે છોડી મારગ માં
મધરાતે,
મારી વ્હારે કોઈ ન આવ્યું..
નથી રહયા પિતા જેના,
એ દિકરી નું હદય કોઈ એ ન સાચવ્યુ ..
નથી કોઇ ને કહેવાયું કે નથી સેહવાયુ..
બ્રિજવન માં રાધા એકલી..
બ્રિજપતિ ને એનું રુદન ન સંભળાયું..
કુંજદીપ.