```સામે વાળી વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી,
એટલે જ તમે ચતુર કહેવાયા,
એ વાત ભૂલતા નહી.
માણસ ઉંમરલાયક તો થાય છે...
પણ.......
ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે....
સ્મશાનમાં માણસો ને હાજરી પુરવા નો ઉમળકો છે.....
ક્યાં હતા એ...
જ્યારે અંદરથી સળગતો હતો...?
આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ.......
પણ
જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખીય દુનિયામાં ક્યાય ના ઉતરે,
લખી રાખજો.
લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
સાહેબ
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે. .
હ્રદય સુધી એજ પહોંચતા હોય છે,
જે હ્રદય થી બોલતા હોય છે..
સબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,
સબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો....
શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે...??
'બાદ' થઇ જવું પડે છે..
'બાકી' થી....!!
હાથમાં પાનાંઓ નથી તો શુ થયું ...
જુગાર તો લોકોનાં મગજમાં રમાતો હોય છે....```