#MKGANDHI
શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી,નામ જેટલું સરળ તેટલો તેમનો સ્વભાવ પણ સરળ! એ માનતા કે મન જો અડગ અને નિશ્ચલ હશે તો ગમે તેટલા કપરાં ચઢાવો પણ સરળ બનશે.ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવનારા એવા સત્યપ્રેમી આપણા લાડકાં 'બાપુ' તેમના દેશ માટેના સર્વસ્વ ન્યોછાવર કરનારા સ્વભાવને કારણે 'રાષ્ટ્રપિતા' બની શક્યા..તેમણે શીખવ્યું કે ખામીઓ અને ત્રુટિઓને અવગણો નહીં,નિર્ભયતાથી સામનો કરો,તેમને આપણી પર હાવી ન થવા દો પણ તમે ખુદ તેના પર હાવી થાઓ.વળી,પ્રાર્થનાનું મહત્વ પણ તેમણે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું સૌને!એક ઉત્કૃષ્ટ નેતાના દરેક ગુણ ધરાવનાર આપણા સૌના દિલમાં વર્ષોથી રાજ કરનાર ગાંધીજી હજી પણ વર્ષો સુધી રાજ કરશે મહાત્મા બનીને!!!