Gujarati Quote in Whatsapp-Status by Ashq Reshammiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.........શેરી શેરીની કહાની.........
#દશાબેન દસ દિવસ આવીને ગયા. #શંકરબાપા પણ, મહિનો રોકાઈ ને ખોવાઈ ગયા. ભેગા નાનું બચ્ચું જન્મી ગયું... હાલરડાં ગવાઈ ગયા.... હવે, દસ દિવસ માટે #બાપા આવી ગયા.... વળી, થોડા દિવસ પૂર્વજો પધારશે #કાગડા બની એ જશે તરત લાઈનમાં #માડીઓ ઉભા જ હશે.
           આ સમય દરમિયાન વાસ્તવિકતા તમારી અને મારી આસપાસ કેવી હોય છે.... જરાય દુઃખ લગાડ્યા વગર.... આપણી લાગણીઓને કાબુમાં રાખીને... વિચારજો, સમજજો, અને સ્વીકારજો... મારી વાતમાં 1 ટકોય ખોટું લાગે તો, બિન્દાસ્ત મને ટકોર કરજો...
# દશામાંના વ્રત કરનારા સ્ત્રીઓ, પુરુષો ધાર્મિક હોય પણ, એમાના ઘણા બધા માટે માવા ચોળી મોમાં ભરવા, દારૂ પી અપશબ્દો બોલવા.. આ બધું દસેય દિવસમાં ચાલુ જ રહેતું હોય છે. દસ દિવસ ઉપવાસ કરવા, ભક્તિ કરવા છતાં, દારૂ, જુગાર, અપશબ્દો, કશોય બદલાવ નથી આવતો.
....પછી, આવે #શંકર બાપા... દર સોમવારે ઉપડે ટીલાં માંડી, આખો મહિનો ભૂખ્યા પણ રહે... લાડવા પણ જમાડે... પણ, ઉપર કહ્યું, એમ એકેયમાં કોઈ બદલાવ નહિ. અમે હતા એવા ને એવા જ રહીએ હો.... ઉપરથી.... રાહ જ જોતા હોય  શ્રાવણ પતે તો, જલ્દી જીભને ચટાકેદાર ખાવા મળે.... વિશ્વાસ ન આવે તો, જઈને નોનવેજની હોટલવાળાને પૂછી આવજો.... ભાઈ એક મહિનામાં કેટલી આવક ઘટી?. 
..... એ દરમિયાન નાનું બચ્ચું જન્મે, એના નામે લોકો ગરબે જુમે, ઉત્સવ ઉજવે..... પણ.... જુગાર તો એવો રમે કે, વાત ન પૂછો... જુગાર સાથે દારૂની પાર્ટી ફ્રી સમજવી..... બેફામ.. બેહાલ...
........ કાં કમાઈ ગયા... કાં માથે દેવું.... તરત બાપા આવ્યા... જોવા જેવી વાત એ જ કે, બાપાને શેરીમાં લાવી દસ દિવસ રાખનારા, રોજ... તું ગામડાની ગોરી... ઘટે તો જિંદગી ઘટે..... લેલા મેં લેલા....જેવા ગીતો પર  મંડપ નીચે નાચનારા એ જ લોકો જે સાતમ આઠમ માં એ જ જગ્યાએ જુગાર ધામ ચલાવતા હોય...બેફામ દારૂ, જુગાર, ઝગડા માં જેમનું નામ આવતું હોય એમાના જ અહીં પણ આગેવાની લઈ ફરતા હોય...
........ અને પછી #શ્રાદ્ધમાં , કાગડા ભઈને એવી મીઠી ખીર ખવડાવે એક દિવસ બનાવીને કે, ન પૂછો વાત?.... જેને જીવતા માં-બાપને ઠંડા રોટલા જ ખવડાવ્યા હોય...એ બાપાને ખીર બહુ ભાવતી કહી પરાણે કાગડા સામે જોઇને ઉડાડે..
.... અને ત્યાં તો આવી જાય... જોગણીઓ....પથ્થરની દેવીઓની 9 દિવસ પૂજા કરતા લોકો, પેટમાં રહેલી દેવીને તો અંદર જ મારી નખાવે, જીવતી દેવીને પગની પાની સમજે...  સાચું કહું.. આ ગરબે ઘુમતા, રોજ તૈયાર થઈ ઘુમતા એકેયને ઇ માવડીયુંમાં જરીકેય રસ નથી હોતો.... એમને એમની અંદર ફૂટેલી જુવાની, રોમાંચની મજા લેવામાં રસ હોય છે. આજ દિવસો એવા છે જેમાં એ બધાને એમના મિત્રો સાથે રમવા, ભમવા, મસ્તી કરવા સમય મળે છે...
             કહેવાનો મતલબ એ જ કે ધાર્મિક હોવાનો દંભ શા માટે કરવો??? શા માટે વાસ્તવિકતા નથી સ્વીકારી શકતા??? ધર્મ, માતા, દેવ, દેવીઓ, આ બધાના નામે તમે તમારી જાતને કેમ છેતરો છો.... જેવા છો એવા કેમ નથી દેખાતા..... 
              મોજ જ કરવી છે, આનંદ કરવો છે તો, ધર્મ, દેવી દેવતા વગેરેનો સહારો શા માટે લેવો જોઇએ???? એટલે જ મને હંમેશા એવું લાગે.... આ દંભી ધાર્મિક લોકોની આસ્તિકતા કરતા મને મારી નાસ્તિકતા બેસ્ટ લાગે છે......
       ........કુસુમડાભી.....13/9/18....

Gujarati Whatsapp-Status by Ashq Reshammiya : 111030351
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now