દર મંગળવારે ગણપતિ દાદા ને મળવા જવાનો નિયમ... આમ તો હુ મંદિરે બહુ જાવ નહિ.. પણ કોકે કીધું તું કે મન ની શાંતિ માટે ક્યારેય મંદિરે જવું જોઈએ... એટલે છેલ્લા 3 વર્ષ થી શક્ય હોય તેટલું આ નિયમ પાળુ છું... છેલ્લા 2 3 વખત થી મેં એક અલગ વાત નોંધી જેના કારણે આજે અહીં લખવાની ઈચ્છા થઈ..
છેલ્લા 2 3 વખત થી હું જોવું છું કે મંદિર માં પણ એ શાંતિ નથી... લોકો ભેગા મળી ને કોક ખૂણા માં ઉભા ઉભા કોક ની નિંદા જ કરે... ભીડ વધારે હોય તો ધક્કા મારે... ત્યાં પણ એક બીજા ને દર્શન માટે ગમે તે બોલી દે છે.... આ લોકો કદાચ એ છે જેમને શાંતિ ગમતી જ નથી... એમને અશાંતિ જ ગમે છે... હું એટલું જ કહીશ કે 10 15 મિનિટ જેટલો સમય મંદિર માં છીએ એટલો સમય શક્ય હોય તો મૌન જ પાળવું... જેથી કરી ને આપણા થકી કોઈ ને તકલીફ ન થાય.... #માત્ર મારા વિચારો