2nd part
રાધાને આપ્યો વિયોગ, મીરાના ઝેર તો પીધા જાણી,
આઠ પટરાણી અને તેમાં રૂક્મિનિતો તો તેની સામ્રાજ્ઞી,
એકહજાર ને આઠ પત્નિ છતાં એતો કસોટીમાં ખરા ઉતર્યા તરીકે અખંડ બ્રહ્મચારી.
દ્રૌપદીના પૂર્યા ચિર એણે, ભીષ્મને પરમ શાંતિ અપાવી,
પાંડવોની પક્ષે ઊભા રહીને તેણે, ગાંધારી ની શાપમય વાણી સ્વીકારી,
પોતાની નજર સામે જ તેણે સર્વ નિજ વંશ વિનાશક યાદવાસ્થળી નિહાળી.
દરેક પરિસ્થિતિને તેઓ અનુકુળ બન્યા,
સર્વ સ્થિતિમાં તેઓ હસતાં રહ્યા,
સ્વ માં સ્થિર રહ્યા.