અભિનેત્રી 62*
મહેરને ઘરે ઉતારીને બહેરામ પોલીસ સ્ટેશન આવ્યો.ત્યા બ્રિજેશની જગ્યા એ ઇન્સ્પેક્ટર મોહન કુમાર ડ્યુટી પર હતો.બહેરામે પોતાનુ વકીલાતનું ઓળખ પત્ર દેખાડી ને પહેલા તો મોહનને પોતાની ઓળખ આપી અને પછી કહ્યું.
"ઇન્સ્પેક્ટર સાહેબ.મારે સુનીલને મલવુ છે."
તો મોહને કહ્યુ.
"વકીલ સાહેબ સુનીલને મળવાની તમને પરવાનગી હુ નહી આપી શકુ."
"કેમ?તમે નહી આપી શકો તો કોન આપશે? મારે એને મલવુ જરુરી છે ભાઈ."
બહેરામે ફરી એક વખત રિક્વેસ્ટ કરી.
"આ કેસ બ્રિજેશ સરના હાથમા છે.અને એ આજે વહેલી સવારે બેંગ્લોર ગયા છે સાંજ સુધીમા આવી જશે.પછી સુનીલને તમારે મળવુ હોય તો એમની પરવાનગી લઈને મળી શકશો"
મોહનનો ઉત્તર સાંભળીને બહેરામ થોડાક નિરાશ સ્વરે બોલ્યો.
"ઠીક છે સાહેબ તો હુ સાંજે આવીશ.કેટલા વાગે આવુ સર?"
"પાંચ પછી ગમે ત્યારે આવી શકો."
સુનીલે કહેલી હોટલ પવન ઈનમા જઈને હોટલ મેનેજરને બ્રિજેશે પોતાની ઓળખ આપી.
"હુ ઇન્સ્પેક્ટર બ્રિજેશ ફોમ મુંબઈ.થોડીક ઇન્ક્વાયરી કરવા આવ્યો છુ."
"હા.કહોને સાહેબ શુ જાણવુ છે આપને."
બ્રિજેશે મોબાઈલમાં સુનીલનો ફોટો દેખાડતા પૂછ્યુ.
"આને ઓળખો છો? "
સુનીલની તસવીર જોઈને મેનેજરે કહ્યુ.
"આતો અમારા રેગ્યુલર કસ્ટમર છે સાહેબ. મહિનામા બે વાર એમની કંપનીના કામથી ચાર ચાર દિવસ માટે અચૂક આવે છે.બહુ સારા માણસ છે.શુ કંઇ હાદસો થયો છે એમની સાથે?"
મેનેજરે ઉચાટ ભર્યાં સ્વરે પૂછ્યુ.
"મારે પણ એજ પુછવું છે તમને કે એ અહી છેલ્લે આવ્યા ત્યારે એ કેટલુ રોકાયા હતા અને એમની સાથે અહી કોઈ હાદસો થયો હતો?"
"સર.હમણા બાર ડિસેમ્બરના સુનીલ સર આવ્યા હતા.અને સોળ તારીખ સુધી એમણે રુમ બુક કર્યો હતો.પણ એમણે એક દિવસ વહેલો એટલેકે ગઈ કાલે સાંજે જ રુમ ચેક આઉટ કર્યો હતો.પણ નીકળતી વખતે વોશરુમમાં એ સ્લીપ થઈ ગયા અને એમને કપાળ માં નળ વાગી ગયો હતો."
મેનેજરે ખુલાસો કર્યો.
"અચ્છા?એમનો ઘા કેવોક હતો અને એમનો ઈલાજ કયા ડોક્ટરે કર્યો?"
બ્રિજેશે વધુ એક સવાલ કર્યો.તો જવાબમા મેનેજરે જણાવ્યુ.
"ડોક્ટર પાસે જવુ પડે એવો ઝખ્મ ન હતો. હોટેલના ફર્સ્ટ એડથી જ કામ થઈ ગયું હતુ."
બ્રિજેશને જે ઇન્ફોર્મેશન જોઈતી હતી એ મળી જતા એ ઉઠ્યો અને મેનેજર સાથે હાથ મિલાવતા બોલ્યો.
"સહકાર આપવા બદલ થેંકયુ મેનેજર."
"પણ સાહેબ.તમે કહ્યુ નહી કે સુનીલ સરને શુ થયુ છે?"
"ટીવી છેને હોટેલમાં?ન્યુઝ જોતા રહો.થોડી ઘણી અપડેટ દુનિયાની પણ રાખતા જાવ મિસ્ટર."
કહીને બ્રિજેશ એરપોર્ટ તરફ રવાના થયો.
બહેરામ અને મહેરના ગયા પછી શર્મિલાને લાગ્યુ કે નક્કી બહેરામને એની ઉપર શંકા પડી ગઈ લાગે છે કે હુ ઉર્મિલા નથી.એટલે એ જરુર કંઈક તો ઉધામા કરશે.અને એ પોતે પણ આ રીતે કેટલો સમય ઉર્મિલા બનીને રહી શકે?એ જાણતી હતી કે એનાથી વધુ સમય ઉર્મિલા બનીને રહી શકાશે નહીં.આમાંથી જલ્દી કોઈ ને કોઈ માર્ગ તો કાઢવો જ પડશે. પોતે છાતી ઠોકીને સામે ચાલીને આવીને કહેતા ડરતી હતી કે હુ શર્મિલા છું અને જેની હત્યા થઈ તે ઉર્મિલા હતી.કારણકે અસલી કાતિલ હજુ પોલીસના સિકંજામાં આવ્યો ન હતો.જો એ ખૂનીને ખબર પડે કે શર્મિલા જીવે છે તો એ મારી પાછળ લાગી જાય.અને શર્મિલાને એ સમજાતુ ન હતુ કે કાતિલ આખર શા માટે મારી હત્યા કરવા માંગે છે?શુ બગાડ્યું છે મેં એનુ?અને એ છે કોણ?
એણે પોતાના મગજ ઉપર જોર દેવા માંડ્યું. કે એણે ભૂતકાળમાં કોની કોની સાથે પંગો લીધો હતો.સહુથી પહેલુ નામ એના દિમાગની સ્ક્રિન પર સુનીલનુ જ આવ્યુ.પણ એણે તરત એ નામને ખંખેરી નાખ્યુ.એમણે ગુસ્સામા ધમકી તો જરુર આપી હતી.પણ એ આટલી હદે જવાની હિંમત ન જ કરે.અને બીજુ નામ આવ્યુ એના જહેનમાં એ હતુ રંજનનુ.પણ એને લાગ્યુ કે એ તો નાદાન છે અને એ ફ્કત નાદાની જ કરી શકે.એટલે કે ફક્ત ધમકી જ આપી શકે એના તો કરોડો રૂપિયા લાગેલા છે મૂવીમાં.એ મારુ મર્ડર ન કરાવી શકે.અને હવે ત્રીજુ નામ એના દિમાગમા ઉભર્યું.એ નામ ઉપર એણે બારીકીથી ખૂબ વિચાર કર્યો ત્યારે આખરે એ કન્ફર્મ થઈ કે નક્કી આ કામ એજ કરી શકે.હંડ્રેડ પર્સન્ટ આ એનુજ કામ લાગે છે.
(કોના નામ પર આખર શંકા પડી હતી શર્મિલા ને?કોણ છે એ?શુ એની શંકા સાચી હતી?)