*અભિનેત્રી 57*
સંભવ એપાર્ટમેન્ટની આસપાસ ખાસી એવી ભીડ એકઠી થઈ હતી.ફિલ્મ અભિનેત્રી શર્મિલાના ફલેટમા કઈંક અજુગતુ બન્યુ છે પણ શુ બન્યુ છે એ વિશે જાણવાની એ ટોળામાં ઉત્સુકતા હતી.ત્યા પોલીસની વેન સાયરન વગાડતા આવી પહોંચી.
એકઠી થયેલી ભીડ વચ્ચેથી રસ્તો કરીને બ્રિજેશ પોતાની પોલીસ ટીમ સાથે શર્મિલાના ફલેટ પાસે પહોંચ્યો.ફ્લેટનો દરવાજો બંધ હતો.પોલીસ ટીમમાંથી રાઘવ નામનો એક પહેલવાન જેવો કોન્સ્ટેબલ આગળ આવ્યો અને એણે બ્રિજેશને પૂછ્યુ.
"સર.લાત મારુંન દ્વાર તોડુંન ટાંકું?"
બ્રિજેશે એની સામે જોતા કટાક્ષ કરતા કહ્યુ.
"C.I.D બહુ જોતા લાગો છો કેમ મીસ્ટર દયા?દરવાજો તોડતા સિરિયલોમા દેખાડતા હોય.કેમકે એમા થર્મોકોલના બારણા હોય. વાસ્તવિકતામા તો આ લાકડાના મજબૂત દરવાજા હોય.લાત મારશો તો પગ મરડાઈ જશે સમજ્યા?અને હકીકતમાં પોલીસ ટીમ પાસે તો દરેક સમસ્યાનો હલ હાજર હોય છે."
પછી જયસૂર્યાને ઉદ્દેશીને બોલ્યો.
"જયસૂર્યાભાઈ લગાડો તો ડોરની કી હોલમાં માસ્ટર કી."
જયસૂર્યાએ માસ્ટર કી લગાડીને થોડીક મગજ મારી પછી ફ્લેટનું બારણું ખોલી નાખ્યુ.ફ્લેટમાં પ્રવેસ્તા જ એ બધાની નજર સોફા ઉપર પડેલી ઉર્મિલાની અર્ધ નગ્ન લાશ પર પડી.
"ઓહ્ માય ગોડ."
બ્રિજેશના મુખમાથી આઘાત ભર્યો ઉદ્દગાર નીકળ્યો.જયસૂર્યા પણ ઉર્મિલાની લાશ જોઈને ચોંકી ગયો.ગળાની ઉપર દેખાતા સ્પષ્ટ નિશાન જોઈને એ બોલ્યો.
"સર.એવુ લાગે છે કે મેડમના કોઈ આશિકે મેડમ ઉપર બળાત્કાર કરવાની કોશિષ કરી હશે.શર્મિલા મેડમે પ્રતિકાર કર્યો હશે અને એના ફળસ્વરૂપ એ આશિકે હતાશ થઈને ગળુ દબાવીને એમની હત્યા કરી હશે."
જયસૂર્યાની વાત સાંભળીને બ્રિજેશના હ્રદયમાથી એક નિઃસાસો નીકળી ગયો.એની આંખો પણ ભીની થઈ ગઈ.ત્રીસ વર્ષની એની ઉંમરમાં અગર એને કોઈની સાથે ખરેખર પ્રેમ થયો હોય તો એ.એ ફક્ત શર્મિલા જ હતી. એને શર્મિલાના બર્થડેની એ રાત યાદ આવી ગઈ.એનુ એ સુંવાળું શરીર યાદ આવી ગયુ.
એ થોડોક ગમગીન થઈ ગયો.એની આંખોમાં અશ્રુ ઘસી આવ્યા.શર્મિલાનો આવો અચાનક કરુણ અંજામ જોઈને એ અંદર ખાનેથી તૂટી ગયો હતો.એકદમ હલબલી ગયો હતો.એણે દાંત કચકચાવ્યા.એ જલ્દીથી જલ્દી કાતિલને પકડીને એના અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.એનુ હ્રદય બદલાની અગ્નિમાં સળગવા લાગ્યુ હતુ.
એણે ફોરેન્સિકની ટીમને ફૉન કરીને તુરંત ત્યાં પહોંચવાનું કહ્યુ.અને એ પણ હાથમા ગ્લ્વ્ઝ પહેરીને ઘણી બારીકીથી શર્મિલાના ફ્લૅટમાં તપાસ કરવા લાગ્યો.એણે એની સાથે આવેલી એની પોલીસ ટીમને પણ હાથોમાં ગ્લ્વ્ઝ પહેરવાનો આદેશ આપ્યો.
સહુથી પહેલા એણે લાશનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ.લાશની નાકમા ઝખ્મ જેવુ હતું. એના ઉપરથી બ્રિજેશે અનુમાન લગાવ્યુ કે શર્મિલાએ કાતિલના હાથમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હશે.અને ભાગવાના પ્રયાસમાં ઉંધી પડી હશે અને એને નાક પર વાગ્યુ હશે.એ સિવાય શરીર ઉપર બીજે ક્યાંય કોઈ ઝખમ દેખાતા નથી.શર્મીલાના ગળા પર એની નજર પડી તો ત્યાં ગળા પર એણે લાલ લિસોટા જોયા આનાથી એને પણ ખાતરી થઈ કે શર્મિલાનુ ખૂન એનુ ગળુ દબાવીને કરવામાં આવ્યું છે.એ લાશનું નિરીક્ષણ કરતો હતો.ત્યા સોફા પાસે જ પડેલી ફૂલદાની પર જયસૂર્યાની નજર પડી.
"સર આ જુવો આ ફૂલદાની ઉપર લોહીના નિશાન પણ છે."
બ્રિજેશે ફૂલદાની હાથમા લીધી અને એને બારીકાઈથી જોતા કહ્યુ.
"જયસૂર્યા ભાઈ.મને લાગે છે કે ખૂની જ્યારે શર્મિલા સાથે જબરજસ્તી કરતો હશે ત્યારે શર્મિલાએ આ ફૂલદાનીનો પ્રહાર એના મસ્તક ઉપર કર્યો હશે.એટલે એ કાતિલ પણ જરુર જખ્મી થયો હશે."
"તમારી વાત સોળઆના સાચી લાગે છે સર. આની ઉપર કાતિલના ફિંગર પ્રિન્ટ અને લોહીની બુંદો પણ મોજુદ છે.ફોરેન્સિક વાળા આનુ ટેસ્ટ બરાબર કરે તો ખૂનીનો પત્તો લગાડવાનું આસન થઈ જશે."
બ્રિજેશની સાથે સહમત થતા જયસૂર્યાએ કહ્યુ.અને ત્યા જ બ્રિજેશને અચાનક ત્રણ મહિના પહેલા નટરાજ રેસ્ટોરામા શર્મિલા સાથે થયેલી આખરી મુલાકાત યાદ આવી ગઈ.
શર્મિલાએ કહ્યુ હતુ કે એના જીજુએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.એ ઝડપથી પોતાની જગ્યાએથી ઉભો થયો અને બોલ્યો.
"જયસૂર્યા ભાઈ.મને કાતિલનો અંદેશો આવી ગયો છે.તમે અહી ફોરેન્સિકની ટીમ આવે એટલે તેને સહયોગ કરો.અને હુ અને રાઘવ જઈને એ ખૂનીની ખબર લઈએ છીએ."
બ્રિજેશ એક કોન્સ્ટેબલ રાઘવને લઈને બિમાનગર ગયો અને એણે સુનીલના ઘરનુ બારણુ ઠપકાર્યુ.
(શુ ઉર્મિલાનુ ખૂન શર્મિલા સમજીને સુનીલે જ કર્યું હશે?વાંચો નેકસ્ટ એપિસોડમા)