સ્વરાજ્ય શું છે?
સ્વરાજ્ય રાતોરાત ઉભું નથી થયું,
કેટલાય વર્ષોની સાધના, પરિશ્રમ, પ્રયત્ન છે,
સ્વરાજ્ય ફકત છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા જીતેલો એક પ્રદેશ નથી.
સિંધખેડના મનસબદાર સરદાર લખોજીરાજે જાધવરાવના સુપુત્રી જીજાઉ રાણીસાહેબ અને
પુણે-સુપાના મનસબદાર સરદાર માલોજીરાજે ભોંસલેના સુપુત્ર શાહજીરાજે ભોંસલે મહારાજ સાહેબનું સ્વપ્ન છે.
સ્વરાજ્ય એટલે દરેક ભારતીયનો હક, સમ્માન, પ્રતિષ્ઠા,
સ્વરાજ્ય એટલે અરબી શાસકોની ગુલામીમાંથી આઝાદી,
સ્વરાજ્ય એટલે મહિલાઓનું રક્ષણ, સમ્માન,
સ્વરાજ્ય એટલે શિવાજી મહારાજની દીર્ઘ દ્રષ્ટિ, કૂતનીતિ,
સ્વરાજ્ય એટલે જીજાઉની મમતા, માતૃત્વ, કુશળ નેતૃત્વ, માર્ગદર્શન,
સ્વરાજ્ય એટલે શાહજી મહારાજનું જોશ,હિમંત, સામર્થ્ય,
સ્વરાજ્ય એટલે સુશાસન, કર્તવ્યનિષ્ઠા, સમર્પણભાવ,
સ્વરાજ્ય એટલે માવળોની નિષ્ઠા, વિશ્વાસ, દેશભક્તિ,
સ્વરાજ્ય એટલે બાજી પાસલકર,સોનો પંત,શ્યામરાજ પંત,દાદોજી પંત,કાન્હોજી જૈધૈ,માન્કોજી દાહાતોડે,જીવા મહાલ,તાન્હાજી માલુસરે,યેસાજી કંક,ભીમીયા,મોરોપંત પીગળે,નેતાજી પાલકર,બાજીપ્રભુ દેશપાંડે,હંબીરરાવ, ગોપીનાથ વકીલ,બહીરજી નાયક અને સમગ્ર માવળ.