કોઈપણ વ્યક્તિની વાતને સમજવા જેવી સમજણ બીજી એકે નથી હોતી, અને આ સમજણ ત્યારે જ કેળવાય છે, કે જ્યારે આપણે કોઈની પૂરી વાતને, સાંભળવાની સમજણ કેળવીએ, અને આ સમજણ ત્યારે જ કેળવાય, કે જ્યારે આપણે કોઈ બોલતું હોય ત્યારે એની વાતને સાંભળવા પર પૂરતું ધ્યાન આપીએ, અને એવું ધ્યાન આપણે ત્યારે જ આપી શકીએ, કે જ્યારે આપણે અંદરથી બિલકુલ શાંત હોઈએ, અને આપણામાં અંદરની સાચી શાંતિ તો ત્યારે જ આવે, કે જ્યારે આપણે દરેક લોકોની વાતને પૂરી સાંભળીશું, બાકી તો ઉતરાયણના પર્વમાં આકાશમાં જેમ પતંગોનો મેળો જામે છે, એમ આપણા મગજમાં પણ, કામના અને વગર કામના અસ્ત-વ્યસ્ત લાખો વિચારોનો મેળો જામેલો જ રહેશે.