અગણિત અપેક્ષાઓ...
માનવ મન પણ કેટલું ચંચળ છે...
સંતોષની છાયામાં રહેવું
એને ક્યારેય ગમતું જ નથી.
એક ઇચ્છા પૂર્ણ થાય,
ત્યાં બીજી અપેક્ષા આંખો ઉઘાડી દે...
અને અપેક્ષાઓનો આ અંતહીન પ્રવાસ
મનને ક્યારેય શાંત થવા દેતો નથી.
ખુદ કૃષ્ણ ગીતા દ્વારા
અપેક્ષાથી નહીં,
કર્મથી જીવવાનું શીખવી ગયા...
પણ મનને કર્મ કરતાં
ફળનો મોહ વધુ વહાલો લાગે છે.
પછી જ્યારે ધારેલું ન મળે,
ત્યારે ઈશ્વરને પ્રશ્નો પૂછાય છે...
ભૂલી જઈએ છીએ કે,
દુઃખ ઘણીવાર સંજોગોથી નહીં
પોતાની જ અપેક્ષાઓમાંથી જન્મે છે.
દિકરી ની કલમે ✍️
દેવી ઠકકર