મનમાં જે હોય એ બધુંજ.....
શક્ય હોય એટલી વહેલી તકે....
સંબંધિત વ્યક્તિને જણાવી દેવું.....
કેમકે આમ કરવાથી....
જે તે સંબંધ બંધાયેલો તૂટતાં, અને
બંધાઈ રહેલો સંબંધ, કાંતો મજબૂતાઈથી બંધાઈ શકશે, કાંતો બંનેમાંથી કોઈનો વધારે સમય, કે સંબંધ બગાડયા વિના એના પર પૂર્ણવિરામ આવી જશે.
અને વિશેષમાં કે,
આ રીતે ચોખવટ પૂર્વક બંધાયેલ સંબંધોમાં આગળનાં જતા ફાયદો એ મળશે કે,
જે તે બંને વ્યક્તિઓની, કોઈપણ વાત, વિચાર, વસ્તુ કે પછી કોઈ જરૂરી જરૂરિયાત.....
મનની મનમાં નહીં રહે.
બાકી આમાં ચૂક્યા તો,
બંનેની, કે પછી કોઈ એકની ઘણી બધી વાતો, વિચારો કે પછી સપનાઓ,
મનમાં રહી જવાની સાથે-સાથે,
એ વાત પણ શક્ય છે કે....
કોઈ એકને, કે પછી એ બંનેને,
એમના ભવિષ્યમાં,
કેમ છો ? એટલું કહેવાવાળું પણ કોઈ ન રહે.